વિથ લવ, સ્વાતિ!
1. ભારતીય સમાજ માં સંબંધો, તેની વ્યાખ્યાઓ, તેને નિભાવવાનાં નિયમો વગેરે ખૂબ નાજુક અને સંવેદનશીલ વિષય છે..
છતાં, રોજબરોજનાં અનુભવો અને અવલોકનો અહીં ટાંકું છું. આપ સૌ પણ જોડાઈ શકશો એવી આશા રાખું છું. આ લેખ કદાચ મદદરુપ ન થાય તો પણ વાંચીને આનંદ તો લઈ જ શકશો.
“આજકાલ સમાજમાં સંબંધો તકલાદી બનતા જતાં હોવાની વાતો આસપાસમાં જ જોઈએ કે સાંભળીએ છીએ. સંબંધોમાં પણ જો વર્ગીકૃત કરીને લગ્ન વિષે વાત કરીએ તો, નવા લગ્નો કે જૂજ વર્ષોનાં લગ્નજીવનમાં પણ અરસ પરસ વિશ્વાસ, આધાર કે સહયોગ કેળવવામાં ખૂબ મહેનત કરવી પડે છે અને છતાં એ સાયુજ્ય ના સ્થાપી શકાયું હોય એવા કિસ્સાઓ અતિ સામાન્ય બન્યા છે. ઘણી વખત સંબંધોમાં વર્તાતા દબાણ કે ખેંચાણ ને લીધે, વ્યક્તિને એવું લાગવા માંડે છે કે હવે આ મારાથી નહીં જ થાય અને થોડું એ જ દિશામાં આગળ વિચારતા એવું સમજાય છે કે, જો સંબંધમાં બંને માંથી કોઈ એક પણ પક્ષ ને ફાયદો ન હોય (અહીં ફાયદો એટલે આનંદ, ખુશી, સદભાવ, પ્રેમ વગેરે ગણી શકાય), તો તેને આગળ ખેંચવાનો કે વેંઢારવાનો કોઈ અર્થ જ રહેતો નથી અને વ્યક્તિ પછી પૂર્ણવિરામ માટે વિચારવાનું શરૂ કરે છે. પણ, આવા દબાણ કે ખેંચાણના પ્રભાવ હેઠળ લેવાયેલા નિર્ણયો સાચા જ હોય છે? 99% કિસ્સાઓમાં, ના. આપણે કેટલાએ આગળ કેમ ન વધી જઈએ, મનથી રહેવાના ભારતીય જ! અહીં, સંબંધોમાં આગળ વધી જવું એ છેલ્લો વિકલ્પ રહેતો હોય છે. ઘણી વખત વાત ખૂબ નાની હોય છે પરંતુ સ્વભાવગત પ્રતિક્રિયાઓથી ખૂબ મોટું સ્વરૂપ ધારણ કરી લે છે. આવા કિસ્સાઓમાં થોડા સમય માટે જો ધીરજ રાખવાનું કેળવી શકાય, તો ચમત્કારિક પરિણામો નીપજે છે. હા, પણ શરત એટલી કે બંને પાત્રો ફક્ત પોતાના માટે ન વિચારી, સાથે જોડાયેલા પાત્રોનો પણ વિચાર કરે તો અને તો જ.
આપણે ત્યાં સંબંધો એ સામાજિક માળખાની ઈંટો છે એટલે બે ઈંટો પણ આમથી તેમ ગોઠવાય તો, માળખું આખું બદલવું પડે જેની આપણી…
Continue reading this episode of the Series “With Love Swati” at https://swatisjournal.com/01-vaivahik-sambhandho-ni-aavarda-ghati-chhe/
I own a special place named Swati’s Journal for all the published stories, articles and poetry. Inviting you to join me there!
All your thoughts, comments and replies are welcome.